Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સુરત: રાંદેર રોડ પર અકસ્માતમાં ઈજાગ્રસ્ત પ્રૌઢને મદદ કરવાના બહાને બે ભેજાબાજો બાઈક ચોરી છૂમંતર......

સુરત: શહેરના રાંદેર રોડ પાલનપુર પાટિયા પાસે અકસ્માતમાં ઇજાગ્રસ્ત પ્રૌઢને મદદરૃપ થવાનું કહી ઘરે મુકી જવાના બ્હાને બે ભેજાબાજો વૃધ્ધની મોટરસાઇકલ લઇને રફુચક્કર થઇ જતા વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ રાંદેર પોલીસ મથકમાં નોંધાઇ છે.

અક્સમાત સ્થળેથી મોબાઇલ કે કિંમતી સામાન સેરવી લેવાની ઘટનાઓ બને છે. પણ અહી અકસ્માતમાં ભોગ બનેલા પ્રૌઢની આખી બાઇક ચોરી લેવાઇ હતી. પાલનપુર જકાતનાકા વિસ્તારની એવરગ્રીન સોસાયટીમાં રહેતા અને દરજી કામ કરતા જયેશ રમણ ચાવડા (.. 56) ગત તા. 12 જાન્યુઆરીના રોજ પુત્ર શશીકાંતની મોટરસાઇકલ નં. જીજે-જીએમ-5815 લઇ નવસારી બજાર કામ અર્થે ગયા હતા. જયાંથી તેઓ રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે રાંદેર રોડ પાલનપુર પાટિયા સ્થિત ગણેશ મંદિર પાસે મોટરસાઇકલ સ્લીપ થઇ જતા અકસ્માત થયો હતો. જેમાં જયેશભાઇને પગમાં ઇજા થતા લોકોનું ટોળું મદદ માટે એકઠું થઇ ગયું હતું.

(5:33 pm IST)