Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

અરવલ્લીના ભિલોડા પાસે ઝાડ પર લટકતી મહિલાની લાશ મળી : પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ : મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

પોશીનાના મતરવાડા ગામની 32 વર્ષિય રમીલાબેન પરમારની લાશનો ભેદ ઉકેલવા મથામણ

અરવલ્લીઃ મોડાસાના સાયરા ગામ બાદ હવે અરવલ્લીના ભિલોડા પાસેથી ઝાડ પર લટકી રહેલી એક મહિલાની લાશ મળી આવી છે, ગત 24 તારીખે હાથમતી નદી કિનારેથી આ લાશ મળી આવી હતી, પરિવારજનોએ મહિલાની હત્યા થઇ હોવાના આરોપ લગાવ્યાં છે. જેથી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ ન લેવા પરિવાર જીદ પર બેઠો છે.

પોશીનાના મતરવાડા ગામની 32 વર્ષિય રમીલાબેન પરમાર નામની મહિલા 22 મી તારીખે 100 રૂપિયા લઇને પિતાના ઘરે જવા નીકળ્યાં હતા, બાદમાં તેમની લાશ ઝાડ પર લટકી રહેલી મળી હતી. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે મહિલાની હત્યા કરાઇ છે કે તેને આત્મહત્યા કરી છે.

નોંધનિય છે કે મોડાસા પાસેના સાયરા ગામની દલિત યુવતીની ઝાડ પર લટકી રહેલી લાશ મળી હતી, જેમાં દુષ્કર્મ અને હત્યાના કેસની સીટ દ્વારા તપાસ થઇ રહી છે. અને વધુ એક મહિલાની ઝાડ પર લટકી રહેલી લાશ મળી આવી છે.

(12:35 pm IST)