Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

દહેગામના જૈન પરિવારના 13 વર્ષના બે જોડિયા બાળકોનું વૈરાગ્ય સાથે 47 દિવસનું આકરૂ તપ: અનોખી સિદ્ધિ મેળવી

નિત્ય અને નમન શાહ બંને જોડિયા ભાઈઓ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે

ગાંધીનગર જિલ્લાના દહેગામના જૈન પરિવારના 13 વર્ષના બે જોડિયા બાળકોએ સાધુની જેમ વૈરાગ્ય સાથે 47 દિવસનું આકરૂ તપ કરીને અનોખી સિદ્ધિ મેળવી છે.

   નિત્ય અને નમન શાહ. આ બંને 13 વર્ષના જોડિયા ભાઈ છે. બંને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં હિતેષભાઇ અને અવનીબેન શાહના આ બાળકોએ આટલી નાની ઉમંરે સાધુ જીવન જીવવાનો અહેસાસ કરીને સંયમના માર્ગનો અનુભવ કર્યો. ધોળકામાં કલિકુંડ ખાતે ગચ્છાધિપતી આચાર્ય શ્રી હેમપ્રભસૂરી મહારાજ સાહેબ અને આચાર્ય શ્રી મુક્તિનિલયસૂરી મહારાજ સાહેબની નિશ્રામાં નિત્ય અને નમને 8 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી સુધી 47 દિવસની આકરું કહેવાતુ ઉપધાન્યા તપ કર્યું.

(8:59 am IST)