Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

વાગરાના અખોડ ગામની સીમમાંથી એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળતા ચકચાર

ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરવા માટે ગયા હતા

ભરૂચના વાગરા તાલુકાના અખોડ ગામની સીમમાંથી એકજ પરિવારના 3 લોકોના મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.

જે લોકોના મોત થયા છે તેઓ ખેતમજૂર હતા. અને મૃત્યું પહેલા તેઓ ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરવા માટે ગયા હતા. જેથી ઝેરી દવાની અસરને કારણે આ ત્રણેયના મોત નિપજ્યા હોય તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

(9:55 pm IST)