Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગળતેશ્વર તાલુકાના મુવાડામાં શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીને કારે ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગળતેશ્વર: તાલુકાના મોકાના મુવાડામાં મંદિરવાળા ફળીયામાં રહેતાં વિષ્ણુભાઈ અમરાભાઈ પટેલનો પુત્ર સાહિત પાસેના મેનપુરા ગામમાં આવેલ શારદા મંદિર હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. ગતરોજ સાંજના સમયે શાળા છુટ્યાં બાદ સાહિત પોતાની સાઈકલ લઈ પોતાના ઘરે જઈ રહ્યો હતો.

દરમિયાન તે મેનપુરા ચોકડી નજીક માર્ગ પરથી પુરપાટ ઝડપે આવતી એક વેગનઆર ગાડી નં. જીજે-૦૧, કેજી-૪૨૪૭ ના ચાલકે સાહિતની સાઈકલને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં સાઈકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાયેલા સાહિતને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે બાલાસિનોર અને ત્યારબાદ વધુ સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

(5:34 pm IST)