Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સુરતના અમરોલીમાં શારીરિક બીમારીથી કંટાળી 35 વર્ષીય શખ્સે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

સુરત: અમરેલીના લાઠીના વતની અને હાલમાં મોટા વરાછામાં લજામણી પાસે ગોપીનાથ  સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય સંજયભાઇ ધીરૃભાઇ ભાદાણી ગઇ તા.૨૪મીએ મોડી રાતે ઘરમાં અનાજમાં નાખવાની દવા પી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જયાં ગત બપોરે તે મોતને ભેટયા હતા.તેને કમરનો દુઃખાવો થતો હોવાથી કંટાળીને આ પગલુ ભર્યુ હોવાની શકયતા તેમના સંબંધીએ સેવી હતી.તેમને સંતાનમાં એક પુત્ર છે. આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:23 pm IST)