Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સુરતમાં લગ્નના 13 વર્ષ છતાં પરિણીતાને સંતાન પ્રાપ્તિ ન થતા સાસરિયાઓનો શારીરિક-માનસિક ત્રાસ: મકાનના દસ્તાવેજના બહાને પતિએ ડિવોર્સ પેપર પર સહી કરાવી લેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરમાં લગ્નના 13 વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્તિ નહિ થતા પતિ સહિતના સાસરીયાએ શારિરીક-માનસિક ત્રાસ આપી દહેજ લઇ આવવા માટે દબાણ કરવા ઉપરાંત અભણતાનો ગેરલાભ લઇ છુટાછેડાના કાગળો પર સહી કરાવી લઇ પતિએ બીજા લગ્ન કરી લેતા મામલો રાંદેર પોલીસ મથકમાં પહોંચ્યો છે.

અડાજણ ગોરાટ રોડ જીલાની બ્રિજ નજીક આશિયાના કોમ્પ્લેક્ષમાં રહેતી સબિયા ગુલ અહેમદ મોહમદ અશરફ નુરાનીના લગ્ન વર્ષ 2006માં થયા હતા. 13 વર્ષના દામ્પત્યજીવન દરમ્યાન સબિયાને સંતાન નહિ થતા પતિ ગુલ અહેમદ, નણંદ મરિયમ રફીક ચાંબડીયા, નણંદોઇ રફીક રઝાક ચાંબડીયા, જેઠ અલ્તાફ, જેઠાણી આસ્તાનાબાનુ ઉપરાંત પરિવારના અસ્લમ નુરાની અને તેની પત્ની ગુલબાસબાનુ નુરાની, ઇમરાન નુરાની અને તેની પત્ની ઝકીયાબાનુ દ્વારા મ્હેણાટોણા મારતા હતા. ઉપરાંત પતિ મારઝુડ પણ કરતો હતો અને દહેજ પેટે પિયરમાંથી પૈસા લઇ આવવા દબાણ કરી શારિરીક-માનસિક ત્રાસ ગુજારતો હતો. દરમ્યાનમાં દસેક મહિના અગાઉ પતિ ગુલ અહેમદ સબિયાને કામના બ્હાને અડાજણ પાટિયા ખાતે નવા ઘરમાં રહેવા જવાનું છે એમ કહી ડોકયુમેન્ટ્સ પર સહી કરાવવાના બ્હાને નાનપુરા બહુમાળી બિલ્ડીંગ ખાતે લઇ ગયો હતો.

(5:23 pm IST)