Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

બનાસકાંઠાઃ વડગામના ઇકબાલગઢ ગામના ઉપ સરપંચની ધારિયાના ઘા ઝીકીને ક્રૂર હત્યા : અંગત અદાવત કારણભૂત

ઉપ સરપંચ રમેશભાઈ સેનમાને ગામના લોકોએ હત્યા કર્યાની ચર્ચા

બનાસકાંઠાઃ વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામમાં હત્યાનો બનાવ બન્યો છે. ગામના ઉપ સરપંચ રમેશભાઈ સેનમાની હત્યા કરવામાં આવી છે. હત્યા પાછળ અંગત અદાવત હોવાની વાત સામે આવી છે. ગામના જ લોકોએ ધારીયા વડે માથામાં માર મારી તેમની ઘટનાસ્થળે જ હત્યા નીપજાવી દીધી હતી. હત્યા કરનાર વ્યક્તિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. હત્યાના બનાવની વડગામ પોલીસને જાણ  થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આ મામલે પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી છે.

(11:42 pm IST)