Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

નર્મદા જિલ્લામાં સોમવારે નવા ૦૮ કોરોના કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક ૧૨૨૬ એ પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લામાં સોમવારે નવા ૦૮ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૮ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં નાંદોદના ગોપાલપુરા ૦૨, પોઇચા ૦૧ જ્યારે ગરુડેશ્વર તાલુકાના નવા વાઘપુરા પ્રા. શાળા ૦૧ અને તિલકવાડા ૦૨ કંથરપૂરા ૦૧ નવાપુરા ૦૧ મળી નર્મદા જિલ્લા માં કુલ ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૮ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૪૩ દર્દી દાખલ આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૧૨૪ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૨૨૬ એ પહોચ્યો છે.આજે વધુ ૬૧૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:36 pm IST)