Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સુરતમાં દુષ્‍કર્મનો ભોગ બનેલી ૧૧ વર્ષની બાળા હજુ પણ શેરીમાં અેકલી જતા ડરે છેઃ સ્‍કૂલે જવાનું પણ છોડી દીધુ

સુરતઃ સ્વામીનાથ રઘુવીર જેને કોર્ટના ચૂકાદા બાદ કારાવાસ થવાનો છે. પરંતુ, તેણે જે ત્રણ વર્ષ પહેલા બાળકી પર કુકર્મ કર્યું તે હજુ પણ જિંદગી સામે જંગ લડી રહી છે. હાલમાં પીડિતા 11 વર્ષની છે અને હજુ પણ શેરીમાં એકલી જતા ડરે છે. એટલું નહીં શારીરિક છેડછાડના ડરથી તેણે સ્કૂલે જવાનું પણ છોડી દીધું છે. તેની માનસિક સ્થિતિ પણ થોડી ગંભીર છે. ગુસ્સામાં આવતા ચીડાય જાય છે અને હિંસક બની જાય છે. તેમનો પરિવાર તેની ખૂબ તકેદારી રાખે છે અને પ્રેમથી વર્તે છે.

હજુ પણ બાહર જતા તે ફફડે છે

તેમના પિતાએ જણાવ્યું હતું કે, હાલમાં તેમના પરિવારને તેનું કોઈ ભવિષ્ય દેખાતું નથી. તે બહાર જતા પણ ડરે છે. તેને એવી પણ બીક રહે છે કે જો તે, બહાર જશે તો કોઈ તેનું અપહરણ કરી લેશે. તેથી તેને શાળાએ જવાનું પણ છોડી દીધુ છે. તેમનો પરિવાર હાલમાં તેને ટ્યુશન આપી રહ્યો છે જેથી તે ફરીથી પોતાના પર વિશ્વાસ પ્રાપ્ત કરી શકે. સામાન્ય જીવન જીવી શકે. તેમના પરિજન પીડિતાને ટ્યુશનમાંથી લેવા-મૂકવા માટે જાય છે. તેણે કહ્યું હતું કે, તેની કેર કરવા છતાં પણ તે ક્યારેક ગુસ્સે થઈ જાય છે.

ભવિષ્ય અંગે કોઈ સ્પષ્ટતા નથી

અમે અમારી રીતે પૂરતા પ્રયત્નો કરીએ છીએ પણ તેના ભાવિ વિશે હાલ તો કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી. જ્યારે પીડિતા ટ્રોમામાંથી સારવાર બાદ બાહર આવી ત્યારે પરિવારે સરનામું પણ બદલી નાંખ્યું હતું. તા. 23 જાન્યુઆરી 2015ના રોજ રઘુવીરે તેનું અપહરણ કરીને દુષ્કર્મ કર્યું હતું. કોઈ અજાણ્યા સ્થળે લઈ જઈને તેણે ઘટનાને અંજામ આપ્યો હતો. ગુપ્તાંગમાં સાત સેમી સુધી ઘસરકતા પડવાને કારણે લાંબા સમય સુધી તેની સારવાર ચાલુ હતી. અને આરોપી તેના ઘરની બાજુમાં રહેતો હતો.

(5:33 pm IST)