Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સુરતના પાંડેસરામાં પિતાના મૃત્યુના ટેંશનમાં આવી પુત્રએ ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરનાપાંડેસરા વિસ્તારમાં ગતરોજ યુવાને  ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે પિતાના મૃત્યુ બાદ ટેન્શનમાં રહેતો હોવાથી યુવકે અગાઉ પણ બે વાર આપઘાત કરવાની કોશિશ કરતા બચી ગયો હતો. પરંતુ ત્રીજી વાર તેને આખરે મોતને વ્હાલ કર્યું હતું.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા ખાતે આવિર્ભાવ સોસાયટીમાં રહેતો 30 વર્ષીય કિરણ શત્રુઘ્ન પાટીલે ગઈ કાલે બપોરના સમયે બાથરૂમમાં જવાનું કહીને ગયો હતો. બાદ તેને ઘરમાં બાથરૂમમાં બારી સાથે ટુવાલ બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પરિવારના સભ્યોની જાણ થતાં જોઈને ચોકી ઉઠ્યાં હતા.

કિરણના પરિવારના સભ્યો કહ્યું હતું કે કિરણના પિતાનું એક વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયો હતું. ત્યારથી જ તે માનસિક તાણમાં રહેવા લાગ્યો હતો. જેના લીધે સતત માનસિક તાણ અનુભવતો હોવાથી અગાઉ બે વાર આપઘાત કરવાની કોશિશ કરતા બચી ગયો હતો. તે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ નો વતની હતો. તેના બે ભાઈ છે. તે છૂટક કામકાજ કરતો હતો. આ  અંગે પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે.

 

(6:55 pm IST)