Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કોરોનાના મૃતકોને વિધાનસભા ગૃહમાં સામૂહિક શ્રદ્ધાંજલિ - તેઓના પરિવારને ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ રૂ.4 લાખનું વળતર મળેનો વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણીએ પ્રસ્તાવ મૂકતા ભાજપ સરકાર સંમત ન થતાં વિપક્ષે ગૃહમાથી વોકઆઉટ કર્યો : સરકાર સામે સૂત્રોચ્ચાર

રાજકોટ તા.૨૭ : કોરોના મહામારીમાં થયેલા 3 લાખથી વધુ મૃતકોને આ વિધાનસભા ગૃહમાં સામૂહિક શ્રદ્ધાંજલિ આપવામાં આવે અને તેઓના પરિવારને ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ રૂ.4 લાખનું વળતર મળે તેવો સંકલ્પ કરીએ તેવો વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણીએ પ્રસ્તાવ મૂકતા સંવેદનહીન આ સરકાર એમાં સંમત ન થતાં વિપક્ષે ગૃહ માથી વોક આઉટ કર્યો હતો.

(6:01 pm IST)