Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સોજીત્રામાં મામલતદાર ક્ચેરીદ્વારા સસ્તા અનાજની દુકાનમાં છાપો મારવામાં આવ્યો: 10 ઘઉંના કટાની હેરાફેરી કરનાર ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સોજીત્રા:ની મામલતદાર કચેરી દ્વારા ૧૩ દિવસ પહેલા ંબસસ્ટેન્ડ પાસે આવેલી કૈલાશ કિરાણા સ્ટોરમાં છાપો મારીને રીક્ષામાં લવાયેલો સસ્તા અનાજની દુકાનનો ૧૦ કટ્ટા ઘંઉનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે અંગે ત્રણ શખ્સો વિરૂધ્ધ મામલતદારે ફરિયાદ આપતાં પોલીસે આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગત ૧૩મી તારીખના રોજ સોજીત્રાના મામલતદાર ડી. કે. ગામિતને ફોન પર માહિતી મળી હતી કે, સોજીત્રા બસસ્ટેન્ડ પાસે આવેલી કૈલાશ કિરાણા સ્ટોરમાં સસ્તા અનાજના ઘંઉના કટ્ટા ઉતરી રહ્યા છે.

(5:53 pm IST)