Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજ્યના 80 ટકા લોકો કોરોનાના કાળમાં મુખ્યમંત્રી રૂપાણીની કામગીરીથી ખુશ: IIM અમદાવાદનો રિપોર્ટ

મોબાઈલ મેડિકલ વાન, અન્ન બ્રહ્મ યોજનાની કામગીરીને પણ લોકોએ પ્રશંસનીય ગણાવી: રિકવરી રેટ પણ વધ્યો

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કપરા કાળમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કરેલી કામગીરીથી 80 ટકા લોકો ખુશ છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ પર IIM અમદાવાદે રિપોર્ટ આપ્યો છે. મોબાઈલ મેડિકલ વાન, અન્ન બ્રહ્મ યોજનાની કામગીરીને પણ લોકોએ પ્રશંસનીય ગણાવી છે. રિપોર્ટમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના પણ વખાણ કરવામાં આવ્યા છે.મુખ્યમંત્રી રૂપાણી  દ્વારા હોસ્પિટલમાં સીધી દેખરેખથી કોરોના દર્દીઓનો રિક્વરી દર વધ્યો.છે 

(6:25 pm IST)