Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

અમદાવાદમાં વકરતો અને રાજ્યમાં વિસ્તરતો કોરોના :છેલ્લા 24 કલાકમાં 351 નવા કેસ નોંધાયા:વધુ 248 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,16.967 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 34.231 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 2566 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 351 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 248 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.16.967 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.90 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 34.231 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.12.50.038 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 2566 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં રકપણ દર્દી વેન્ટિલેટર પર નથી,અને 2566 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 351 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 155 કેસ,સુરત કોર્પોરેશનમાં 71 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 30 કેસ,ગાંધીનગર કોર્પોરેશનમાં 12 કેસ, વલસાડમાં 11 કેસ, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 9-9 કેસ,સુરતમાં 8 કેસ, ભાવનગર કોર્પોરેશન,ગાંધીનગર અને જામનગરમાં 5-5 કેસ,ભરૂચ, પાટણ અને રાજકોટ કોર્પોરેશનમાં 4-4 કેસ, અમદાવાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં 3-3 કેસ,કચ્છ અને મહેસાણામાં 2-2 કેસ, ભાવનગર, બોટાદ,દેવભૂમિ દ્વારકા, રાજકોટ,સાબરકાંઠા અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:05 pm IST)