Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

‘બોલે એના બોર વહેંચાય' તેમ ભાજપે માર્કેટીંગ કરીને ભરપૂર ફાયદો ઉઠાવ્‍યો : શંકરસિંહ વાઘેલા

રાજકોટ,તા. ૨૭ : ગુજરાતનાં પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક ઇન્‍ટરવ્‍યુમાં જણાવ્‍યુ હતુ કે ‘બોલે એના બોર વહેંચાય' તે કહેવતની જેમ ભાજપે માર્કેટીંગ કરીને તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્‍યો છે.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્‍યુ કે, જ્‍યારે કોઇને કોઇ કારણોસર લાલુપ્રસાદ યાદવ, માયાવતી, જયલલિતા સહિતના નેતાઓના પક્ષ કોઇને કોઇ કારણોસર શૂન્‍યાવકાશમાં જતા રહ્યા હતા.  તેનો લાભ ભાજપે લીધો હતો.

શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્‍યુ કે સમાજને ખુશ કરવાને બદલે દેશને લાભ થાય તેવા પગલા ભરવા જોઇએ.

દેશની આબરૂ માટે ભાજપે કોઇને કોઇ પગલા ભરવા જોઇએ તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્‍યુ હતું.

(4:29 pm IST)