Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

વડોદરાના આજવારોડ પર 26 વર્ષીય યુવકે રહસ્યમય સંજોગોમાં ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા: શહેરના આજવારોડ રામદેવનગરમાં રહેતા ૨૬ વર્ષના  યુવકે ગઈરાત્રે પોતાના ઘરે રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાી લેતા તેનું મોત નિપજ્યું છે.

આજવા રોડ રામદેવનગર- ૨માં રામનાથ મહાદેવ મંદિરની ગલીમાં રહેતો હિતેશ અરવિંદભાઈ પરમાર (ઉ.વ.૨૬) સરદાર એસ્ટેટની ગ્લાસ કંપનીમાં નોકરી કરે છે. પોલીસે સૂત્રોએ જણાવ્યું હતું કે, માતા-પિતા સાથે રહેતો હિતેશ બહુ જિદ્દી સ્વભાવનો હતો. તેના માતા-પિતા લગ્ન કરી લેવા માટે હિતેશને  સમજાવતા હતા. પરંતુ હિતેશને લગ્ન કરવા  ન હતા. પોલીસે હિતેશના માતા પિતાએ કહ્યું હતું કે મારો પુત્ર ક્યારેય અમારૃં કહ્યું માનતો ન હતો.ગઈકાલે રાત્રે હિતેશના માતા-પિતા અને નાની બહેન મકાનના ઉપરના રૃમમાં સૂઈ ગયા હતા. જ્યારે હિતેશ નીચે સૂઈ ગયો હતો. રાત્રે આવેશમાં આવીને હિતેશે આગળના રૃમમાં છતના હુકમાં વાયરથી ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે તેના માતા પિતા અને બહેન ઉઠીને નીચે આવ્યા ત્યારે તેમને હિતેશના આપઘાતની ખબર પડી હતી. બનાવ અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:28 pm IST)