Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સુરતના કોટ વિસ્તારમાં લગ્નેતર સંબંધની શંકા રાખી પતિએ પત્નીનું ગળું કાપી પતિએ ઝેર ગટગટાવ્યું

સુરત:સુરતના કોટ વિસ્તારમાં સૈયદપુરા પંપીગ સ્ટેશન નજીક મનોહર રેસિડેન્સીમાં આજે બપોરે લગ્નેતર સંબંધની આશંકામાં પતિએ પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સાંજે તેમનો એક પુત્ર પરત ફરતાં ઘરનો દરવાજો અંદરથી બંધ હોય પાડોશીઓ અને પોલીસની મદદથી દરવાજો ખોલી જોતા અંદર મહિલાની લાશ મળી આવી હતી. જ્યારે તેનો પતિ ગંભીર સ્થિતિમાં મળી આવતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કોટ વિસ્તારમાં સૈયદપુરા પંપીંગ સ્ટેશન નજીક મનોહર રેસીડેન્સીના ત્રીજા માળે રહેતો સાહેબઅલી સમદર અગાઉ સાઉદી અરેબિયામાં નોકરી કરતો હતો. જ્યારે મૂળ પ. બંગાળની તેની પત્ની લીપા ( ઉ.વ.38 ) તથા બે બાળકો સાગર અને ઇબ્રાહીમ અહીં રહેતા હતા. 

(4:54 pm IST)