Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

અમદાવાદમાં લખતરવાળા જવેલર્સમાં કામ કરતા ઝારખંડનો કર્મચારી 11 લાખનું સોનુ ઓળવી ગયો

કર્મચારીએ દાગીના કે સોનું જમા નહી કરાવતા પોલીસ ફરિયાદ

અમદાવાદમાં નવરંગપુરામાં સુપર મોલમાં લખતરવાલા જવેલર્સમાં  કામ કરતા કર્મચારીએ 11 લાખનું સોનુ ઓળવી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે  

 આ દુકાનના માલિક હોલસેલમાં દાગીના બનાવવાનું અને વેચવાનું કામ કરે છે. ત્યારે આ જ ઓફિસમાં કામ કરતા મૂળ ઝારખંડના સત્યા કૈલાસદાસ નામના કર્મચારીને શેઠે સોનું દાગીના બનાવવા આપ્યા હત જો કે થોડા સમય બાદ દાગીના કે સોનું પરત ન આવતા શેઠને જાણ થતાં તપાસ કરી હતી. જ્યારે તપાસ કરી તો સત્યા નામના કર્મચારીએ દાગીના કે સોનું જમા ન કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસનો સંપર્ક કરતા પોલીસે સત્યા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

(7:41 pm IST)