Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

લછરસ ગામના કોતરમાં ઝેરી દવા પીનાર વ્યક્તિનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામના કોતરમાં ઝેરી દવા પી જનાર શખ્સનું સારવાર દરમિયાન મોત થતાં રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે
મળતી માહિતી અનુસાર ધર્મેંદ્રસિંહ ચંદ્રસિંહ ચૌહાણ( રહે. રાજપીપળા)ની ફરિયાદ મુજબ ભગવાનસિંહ રામસિંહ ચૌહાણ (રહે, અણીજરા તા.નાંદોદ જી. નર્મદા) નાઓએ લાછરસ ગામના કોતરમાં આપઘાત કરવા સારૂ કપાસમાં છાંટવાની ઝેરી દવા પોતાની જાતે પી લેતા તેમને પ્રથમ સારવાર માટે રાજપીપલા સીવીલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા શ્રી હોસ્પિટલમાં રીફર કરતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.

(10:43 pm IST)