Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ગુજરાત 15,000ના આંકને વટાવી ગયું ! : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 256 કેસ સહીત રાજ્યમાં કોરોનાના વધુ 376 કેસ નોંધાયા અને વધુ 23 લોકોના મોત થયા : કુલ કેસ - 15,205 : કુલ મૃત્યુ - 938 : કુલ વેન્ટિલેટર પર ગંભીર - 92 : કુલ સાજા થયા - 7,547

સુરત ૩૪, વડોદરા ૨૯, મહીસાગર ૧૪, વલસાડ ૧૦, સુરેન્દ્રનગર ૬, ગાંધીનગર ૫, નવસારી ૪, રાજકોટ ૩નવા કેસ : વધુ 410 દર્દીઓ સાજા થયા કુલ સ્વસ્થ થનારની સંખ્યા 7547 થઇ

અમદાવાદ : આજે ગુજરાત 15,000ના કોરોના પોઝીટીવ આંકને વટાવી ગયું છે. રાજ્યમાં કોરોનાનો કેહર યથાવત છે. આ સાથેજ આજે રાજ્યમાં કોરોના કેસ કુલ આંક 15,205 થઈ ગયો છે. રાજ્યમાં આજે વધુ 376 પોઝિટિવ કેસ નોંધાયે છે અને 23 દર્દીના મોત પણ થયા છે. બીજીતરફ સાથે જ 410 દર્દી સાજા પણ થયા છે.

આજે રાજ્યમાં અમદાવાદ ૨૫૬, સુરત ૩૪, વડોદરા ૨૯, મહીસાગર ૧૪, વલસાડ ૧૦, સુરેન્દ્રનગર ૬, ગાંધીનગર ૫, નવસારી ૪, રાજકોટ ૩, આણંદ, પાટણ અનેકચ્છ તથા અન્ય રાજ્યમાં ૨-૨, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટા ઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં ૧-૧ કેસ સાથે રાજ્યમાં કુલ ૩૭૬ નવા કેસ નોંધાયેલ છે. હાલ રાજ્યમાં કુલ ૬૭૨૦ એક્ટીવ કેસ છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 410 થઈ છે અને સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા  7547 થઇ છે. 

જિલ્લા વાઈસ કેસ : 
•અમદાવાદ-11097 •વડોદરા-914 •સુરત-1421 •રાજકોટ-97 •ભાવનગર-120 •આણંદ-95 •ગાંધીનગર-237 •પાટણ-75 •ભરૂચ-37 •નર્મદા-18 •બનાસકાંઠા-102 •પંચમહાલ-79 •છોટાઉદેપુર-23 •અરવલ્લી-101 •મહેસાણા-104 •કચ્છ-68 •બોટાદ-58 •પોરબંદર-8 •ગીર-સોમનાથ-44 •દાહોદ-36 •ખેડા-63 •મહીસાગર-105 •સાબરકાંઠા-97 •નવસારી-22 •વલસાડ-33 •ડાંગ-2 •દ્વારકા-12 •તાપી-6 •જામનગર-52 •જૂનાગઢ-27 •મોરબી-3 •સુરેન્દ્રનગર-31 •અમરેલી-8 કેસ નોંધાયા

Update- 27.05.2020 7.30 PM  

(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)

(8:31 pm IST)