Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

વડોદરા:તરસાલી નવજીવનમાં રહેતા નિવૃત પોલીસ કર્મચારીના યુવાન પુત્રે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરતા પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા:તરસાલી નવજીવન  ટેનામન્ટમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીના યુવાન પુત્રે ગઈકાલે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની  પોલીસ સુત્રો દ્વારા મળતી વિગત એવી છે કેતરસાલી  નવજીવન ટેનામેન્ટમાં રહેતા રાજેન્દ્રભાઈ પટેલ પોલીસ ખાતામાંથી વર્ષ ૨૦૧૬માં નિવૃત્ત થયા હતા. તેમનો ૩૮ વર્ષનો પુત્ર મનોજ કોઈ કામ ધંધો  કરતો હતો. તેમજ તેને દારૃ પીવાની ટેવ હતી. મનોજના લગ્ન થયા  પછી છૂટાછેડા થઈ ગયા હતા.

ગઇકાલે બપોરે સાડા બાર વાગ્યે ટેન્શનમાં આવીને મનોજ ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે સૌપ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે.

(5:41 pm IST)