Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ભરૂચ પંથકના ગામમાંથી સગીરાને લગ્નની લાલચ આપી યુવક ભગાડી ગયાની નબીપુરમાં પોલીસ ફરીયાદ;ચકચાર

ભરૂચ તાલુકાના એક ગામમાંથી એક સગીરાને એ જ ગામના  યુવક દ્વારાપ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

  ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી સગીરાના માતા-પિતા ગત તારીખ ૨૩ મે ના રોજ સવારે મજુરી કામે ગયા હતા અને તેઓ બપોરે ઘરે જમવા આવતા તેઓની મોટી દિકરી ઘરમાં ન જોતા માતા – પિતાના પગ નીચેથી ધરતી ખસી જવા પામી હતી. ઘરમાં હાજર તેઓના પુત્ર તથા પુત્રીને પુછતા સગીરા સાડા બારેક વાગ્યાની ઘરથી અમોને જાણ કર્યા વગર ક્યાંક ગઇ હોવાનું હાજર પુત્ર તથા પુત્રીએ માતા – પિતાને જણાવ્યું હતું.

     સગીરાના માતા – પિતાના પેટમાં ફાળ પડતા સગીરાના માતા – પિતાએ સગીરાની ગામમાં શોધખોળ કરતા સગીરાની ભાળ ન મળતા સગીરાના માતા – પિતાએ ફળિયાના પાછળના તળાવ ફળિયામાં રહેતો અજય નામનો યુવકની તેના ઘરે તપાસ કરતા અજય નામનો યુવક હાજર ન મળી આવતા ફળિયામાં રહેતા રહિશો દ્વારા જાણવા મળ્યું હતું કે સગીરા અજયના પ્રેમમાં હતી. જે અજય નામના યુવાને સગીરાને મોહજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી પ્રેમના પાઠ ભણાવી પટાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની સગીરાના માતા-પિતાને શંકા દ્રઢ બનતા સગીરાના પિતાએ અજય નામના યુવક સામે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(11:41 pm IST)