Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વડોદરામાં સતત ચાલતી અવરજવરથી શાસ્ત્રી બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ

વડોદરા: શહેરમાં  સતત અવરજવરથી ધમધમતા શાસ્ત્રી બ્રિજ પર આજે સવારથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને સેંકડો વાહનચાલકો પરેશાન થયા હતા. પોલિટેકનિક કોલેજ પાસે શાસ્ત્રી બ્રિજ નજીક ચાલી રહેલા સમારકામને પગલે ટ્રાફિક નિયમનની કોઈ જરૂરી વ્યવસ્થા ન હોવાને કારણે અંધાધૂંધી સર્જાઈ હતી. ઉપરોકત સ્થળે શાસ્ત્રી બ્રિજથી ગેંડા સર્કલ સુધી વારંવાર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા અને નોકરિયાતો, વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ સહિતના લોકો અટવાઇ પડયા હતા. આ અંગે ઉહાપોહ સર્જાયા બાદ ટ્રાફિક પોલીસની મદદ માટે સ્થાનિક પોલીસ પણ જોડાઈ હતી.

(6:11 pm IST)