Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કાલે પેટાચૂંટણીના વિજેતા ભાજપના ચાર નવા ધારાસભ્યો શપથ લેશે

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કાલે સવારેઃ 11 વાગ્યે શપથ લેવડાવશે

અમદાવાદ : લોકસભા ચૂંટણીની ગુજરાત વિધાનસભાની ચાર બેઠક પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં વિજેતા ભાજપના ચાર નવા ધારાસભ્યો કાલે સવારે 11 કલાકે શપથ લેશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદે ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે.

   ગુજરાતમાં લોકસભાની બેઠકની સાથે સાથે ધ્રાંગધ્રા, ઊંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચારેય બેઠક પર ક્રમશ: પરસોતમ સાબરિયા, આશાબેન પટેલ, જવાહર ચાવડા અને રાઘવજી પટેલ બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડીને જીત્યા હતા.
   અત્રે ઉલ્લેખનીય છે કે આ ચારેય બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. જે બાદમાં ધ્રાંગધ્રા, માણાવદર અને ઊંઝા બેઠક પર ભાજપે પક્ષપલટું ઉમેદવારને જ ટિકિટ આપી હતી. જેમાં તમામ ત્રણેય ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે જામનગર ગ્રામ્યની બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું હતું. આ બેઠક પર ભાજપે રાઘવજી પટેલને ટિકિટ આપી હતી, તેઓ પણ ચૂંટણી જીત્યા છે

(2:18 pm IST)