Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સુરત અગ્નિકાંડ:મૃતકોને બહુચરાજીમાં અપાઈ શ્રદ્ધાંજલિ : માસુમ બાળકી બે હાથ જોડીને બેસી :જોનારા રડી પડ્યા

વેપારી મંડળ આયોજિત કાર્યક્રમમાં નાની બાળકીએ પ્રગટાવેલ મીણબત્તી સામે બેસી શ્રદ્ધાંજલિ આપી

સુરતના અગ્નિકાંડમાં 21 માસુમ બાળકોની જીવ હોમાયા હતા રાજ્ય અને દેશને હચમચાતી આ દુર્ઘટના બાદ રાજ્યભરમાં શોકસભાઓ રાખીને અને કેટલાક લોકો કેન્ડલ માર્ચ કાઢીને મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે બહુચરાજીના વેપારી મંડળ દ્વારા સુરત બનેલી આગની ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જયારે આ કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે એક નાની બાળકી બે હાથ જોડીને જમીન પર બેસી ગઈ અને પ્રકટાવેલી મીણબત્તીની સામે જોઈને બે હાથ જોડી 23 બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.બહુચારાજીમાં આ દૃશ્યો સામે આવ્યા હતા કે, જે જોઈને કોઈની પણ આંખોમાં આંશુ આવી જાય.

(12:24 pm IST)