Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

અમદાવાદના અસરવાના ચમનપુરામાં બે પરિવાર વચ્ચે પથ્થરમારામાં એકનું મોત

લગ્ન બાદ પરત આવેલી દીકરીના સમાધાન સમયે બે પરિવારો બાખડ્યા :રાહદારી ગિરીશભાઈનું મોત:હત્યા અને રાયોટિંગનો ગુન્હો

અમદાવાદના અસારવાના ચમનપુરામાં બે પરિવાર વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
  આ અંગેની વિગત મુજબ લગ્ન બાદ પરત આવેલી દીકરીના સમાધાન સમએ કોઈ કારણોસર બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં 45 વર્ષીય ગીરીશભાઈ પટણીનુ મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ શાહીબાગ પોલીસના અધિકારીઓને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

    બે  પરિવારો વચ્ચે કોઈ કારણોસર થયેલો ઝઘડો હિંસક થયો હતો અને બન્ને પરિવારોએ એક બીજા પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ગીરીશભાઈ રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે પથ્થરો તેમના માથા અને છાતીના ભાગે વાગ્યા હતા. અને તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. જેથી તેને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

(7:55 pm IST)