Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ગુજરાતમાં લીમડાની ઝાડ નીચે અનોખી જગ્યા : મનોકામના પૂર્ણ થતા શ્રીફળ કે ચૂંદડી નહીં પાણીની બોટલ-પાઉચ ચડાવાઈ છે

ગુજરાતમાં એક અનોખી જગ્યા શ્રદ્ધાનું કેન્દ બની છે બહુચરાજી-પાટણ હાઇવે પર મણિપુરા અને વડાવલી ગામ વચ્ચે ગોગજી ફાર્મની સામે લીમડાના ઝાડ નીચે આવેલી આ જગ્યા  લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. જ્યાં લોકો મનોકામના પૂર્ણ થતાં શ્રીફળ-ચૂંદડી નહીં પાણીની બોટલ-પાઉચ ચડાવે છે.

 એવું મનાય રહયું છે કે આ જગ્યાએ ત્રણેક વર્ષ અગાઉ બહુચરાજીના ગુંજાલા ગામના જાનૈયાને નડેલા અકસ્માતમાં 6નાં મોત થયાં હતાં. જેમાં બાળકોએ પાણી પાણી કરતાં અંતિમ શ્વાસ લીધા હતા. અંત સમયે પાણી માંગતાં આ બાળકોને પાણી ચડાવવાની બાધા લોકો રાખે છે.

(12:25 pm IST)