Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

વડનગરમાં હોસ્પિટલમાં ઓક્સિજન પલન્ટ ફેઇલ થઈ ગયાના અહેવાલો તદન ખોટા અને બિન પાયેદાર : આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે

રાજ્ય સરકાર આવા ખોટા ફેક ન્યુઝ ફેલાવનારા માધ્યમો અને લોકો સામે કાયદેસર ની કાર્યવાહી પણ કરશે

અમદાવાદ : આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યું છે કે વડનગરમાં હોસ્પિટલમાં ઓક્સિજન  પલન્ટ ફેઇલ થઈ ગયાના અહેવાલો અમુક પ્રચાર  માધ્યમો માં ચાલે છે તે તદન ખોટા અને બિન પાયેદાર છે.

તેમણે  સ્પષ્ટ પણે કહ્યું છે કે આવો કોઈ જ બનાવ વડનગર માં બન્યો નથી અને 8 દર્દીઓના મૃત્યુ થયા હોવાની વાત પણ સત્યથી વેગળી છે.
રાજ્ય સરકાર આવા ખોટા ફેક ન્યુઝ ફેલાવનારા માધ્યમો અને લોકો સામે કાયદેસર ની કાર્યવાહી પણ કરશે

(8:48 pm IST)