Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ગજરાજને ચુરમાના લાડુ ખવરાવી સવારીની મોજ માણતા એસજીવીપી ગુરૂકુલના વિદ્યાર્થીઓ-ઋષિકુમારો

અમદાવાદ : એસ.જી. હાઇવે પર આવેલા બાલાજી મંદિરના મહોત્સવ પ્રસંગે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના ગજરાજ આવતા અને એસજીવીપી ગુરૂકુલમાં નિવાસ કરતા, એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ અને ઋષિકુમારોએ ગજરાજને ચુરમાના લાડુ ખવરાવી, નિર્ભય રીતે જોગી સ્વામી હૃદયકુટિરે હાથીની સવારીનો આનંદ માણ્યો હતો.

(12:27 pm IST)