Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

દમણ જેલમાં બળાત્કાર-હત્યાના આરોપીનો લમણે રિવોલ્વર મૂકીને ગોળી મારી આપઘાત:સનસનાટી

દલવાડા ગામે ચાલીમાં રહેતી પરપ્રાંતીય પરિવારની ચાર વર્ષની બાળાને ઉપાડી જઈને ધનંજયે દુષ્કર્મ ગુજરી હત્યા કર્યાનો આરોપ હતો

સંઘપ્રદેશ દમણની સબજેલમાં બળાત્કાર અને હત્યા કેસના આરોપીએ રિવોલ્વર લમણે મુકી ગોળી મારી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ હતી..

  આ અંગે મળતી વિગત મુજબ દમણ દલવાડા ગામે એક ચાલીમાં રહેતા પરપ્રાંતીય પરિવારની ૪ વર્ષીય માસુમને લલચાવી ફોસલાવીને ઉપાડી લઇ જઇ ધનંજય ચતુર્વેદીએ બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ તે માસુમની હત્યા પણ કરી હતી. આજથી એક વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં આરોપી ધનંજય શ્યામકરણ ચતુર્વેદી (ઉ.વ.૨૫)ની ધરપકડ કરાઈ હતી. છેલ્લાં ઘણાં સમયથી તે દમણની જેલમાં હતો. સબજેલની બેરેકમાં ધનંજય ચતુર્વેદીએ પોતાના લમણે રિવોલ્વર તાકી ચાંપ દબાવી આત્મહત્યા કરી લીધી હતી.

આ કસ્ટોડીયલ ડેથની ઘટનાને પગલે સબજેલ પ્રશાસનમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. આપઘાત કરનાર ધનંજય ચતુર્વેદીએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યુ છે

(5:36 am IST)