Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

આણંદ નજીક બાકરોલમાં શ્વાનને મોતનેઘાટ ઉતારનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: નજીક આવેલા બાકરોલ ગામે રહેતા એક વ્યક્તિએ દારૂના નશામાં બે કૂતરાઓને મોતને ઘાટ ઉતારતાં તેના વિરૂધ્ધ પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વિદ્યાનગર પોલીસે તપાસ હાથ ઘરી છે.  પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલના પુરૂષોત્તમનગર ખાતે રહેતા હિતેશભાઈ જોનભાઈ પરમારે ગત ૨૨મી તારીખના રોજ પોતાના ઘર પાસે દારૂ પીને એક કૂતરાને લાકડી તથા પથ્થરોથી માર મારીને મારી નાંખ્યું હતુ. ત્યારબાદ ૨૪મી તારીખે પણ એક કુતરાને લાકડીઓથી માર મારીને મારી નાંખ્યું હતુ. આ અંગે એનીમલ વેલફેર બોર્ડના ઓફિસર ભાવેશભાઈ સોલંકીએ વિદ્યાનગર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 

 

(6:22 pm IST)