Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

નર્મદા જિલ્લામાં શુક્રવારે ૨૮ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૧૧૮ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૨૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળાના દોલત બજારમાં ૦૧, દરબાર રોડ ૦૧, લાલ ટાવર પાસે ૦૧, હાઉસિંગ બોર્ડમાં ૦૩,રાજપૂત ફળિયામાં ૦૨, આશાપુરા મંદિર પાસે ૦૧, રાજેન્દ્રનગર માં ૦૨, વડિયા પેલેસ માં ૦૧, રત્નદીપમાં ૦૧ તથા નાંદોદ ના વરખડમાં ૦૨, નાવરામાં ૦૨, વડિયા માં ૦૧ તથા ગરૂડેશ્વર ના કેવડીયા માં ૦૨, બોરીયામાં ૦૧, ગરુડેશ્વર માં ૦૧ તથા તિલકવાડા ના ઘનસિંડા માં ૦૧, સેવાડા માં ૦૧, તિલકવાડા માં ૦૧ તથા દેડિયાપાડા માં ૦૨, નાનીબેડવાણ માં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૮ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં કોઈ દર્દી દાખલ નથી. જ્યારે હોમ આઇસોલેશનમાં ૯૯ દર્દી દાખલ છે, આજે ૦૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૧૯૮૨ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૧૧૮ પર પહોચ્યો છે.આજે વધુ ૭૩૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:53 pm IST)