Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોના સામે લડવા ઉદાર હાથે ફાળો આપવા રૂપાણીનું સૂચન

ફાળો આવકવેરા કરમુક્તિને પાત્ર : મુખ્યમંત્રી વિજય રૂપાણી : હજુ સુધી કુલ ૩૫૦૦થી વધારે લોકોએ આપેલું યોગદાન

અમદાવાદ,તા.૨૭ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિદ-૧૯ના રોગચાળા સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો-પ્રજાજનોને અપિલ કરી છે. વિજય રૂપાણીએ જણાવ્યું છે કે આ રાહતનિધિમાં આપવામાં આવતું દાન-ફાળો આવકવેરાની કલમ ૮૦-જી હેઠળ કરમુકિતને પાત્ર છે.

         મુખ્યમંત્રી રાહતનિધિમાં જે દાન-ફાળાની અવિરત સરવાણી વહી રહી છે તેમાં અત્યાર સુધીમાં ૩પ૦૦ જેટલા વ્યકિત-સંસ્થાઓએ ફાળો સેવાભાવે અર્પણ કર્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, મુખ્યત્વે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પોતાના વ્યકિતગત ૧ લાખની સહાય આ ફાળામાં આપી છે. તદ્દઉપરાંત કેશુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સોમનાથ ટ્રસ્ટ તરફથી ૧ કરોડનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અપાયું છે. કુંડળધામ સ્વામીનારાયણ મંદિર દ્વારા રપ લાખ, સરદાર ધામ ટ્રસ્ટ દ્વારા ર૧ લાખ અને ખોડલધામ દ્વારા ર૧ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવામાં આવી છે.

(8:50 pm IST)