Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

સુરમતાં કોરોના વાયરસથી બચવા એક એક મીટરના અંતરે ઉભું રહેવાનો ઇન્કાર કરી ચાર માથાભારે શખ્સોએ દુકાનદાર પર જીવલેણ હુમલો કરતા ગુનો દાખલ

સુરત: શહેરમાં કોરોના વાયરસના સક્રમણથી ગ્રાહકોને બચાવવા માટે એક-એક મીટરના અંત્તરે ઉભા રાખનાર પાંડેસરાના શ્રીસાંઇનાથ ટ્રેડીંગ કંપની નામની દુકાનદાર અને તેના કર્મચારી પર સ્થાનિક વિસ્તારના ચાર માથાભારે યુવાનોએ ગ્રાહકોની લાઇનમાં ઉભા રહેવાનો ઇન્કાર કરી માર મારતા મામલો પાંડેસરા પોલીસ મથકમાં પહોંચ્યો છે.

જીવલેણ કોરોના વાયરસના સક્રમણને અટકાવવા માટે લોકડાઉન વચ્ચે આવશ્યક ચીજવસ્તુઓ માટે દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે. જો કે આવશ્યક ચીજવસ્તુઓની દુકાને આવનાર ગ્રાહકોને આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ એક-એક મીટરના અંત્તરે ઉભા રાખવા માટે સુચન કરવામાં આવ્યું છે અને તેનો અમલમાં પણ થઇ રહ્યો છે. 

(5:59 pm IST)