Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોના સંક્રમિતને લાવનાર ૧૧ ફ્લાઇટના મુસાફરોનું લિસ્ટ જાહેર : કોઈ પરિચિત હોય અને હજુ હોમ કોરન્ટાઇન ના થયા હોય તો ૧૦૪ પર જાણ કરો

અમદાવાદઃ  વિશ્વ સહિત રાજયમાં કોરોના વાયરસનો કેર વ્યાપી રહ્યો છે. ગુજરાતમાં કોરોના સામે સરકાર અને સ્થાનિક તંત્ર એનેક રીતે લડી રહ્યું છે. ત્યારે ૧૧ ફ્લાઇટનું એક લિસ્ટ જાહેર કરાયું છે જેમાં કહેવાયું છે કેઙ્ગ જો આ ફ્લાઇટમાં તમારા પરિવાર કે મિત્ર કોઇપણ આમાં આવ્યું હોય અને હજી હોમ કવોરેન્ટાઇન ન થયા હોય તો ૧૦૪ અથવા ૧૫૫૦૩ પર ફોન કરીને જાણ કરવી.એએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદના ૧૨ પોઝિટિવમાંથી ૧૧ કેસોમાં ફ્લાઈટમાં આવેલા પેસેન્જરો જે અમદાવાદના તેઓને અમે કવોરેન્ટાઇન કરી દીધા છે. પરંતુ અમદાવાદ ઉતરી અન્ય શહેરમાં ગયા હોય અને કવોરોન્ટાઇન ન થયા હોય તો અમને જાણ કરે તેમજ સેલ્ફ કવોરોન્ટાઇન થઈ જાય.

(3:33 pm IST)