Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

બોરસદ તાલુકાના કઠણમાં જમીન બાબતે થયેલ તકરારમાં ઢોરમાર મારી છાપરું સળગાવી દેતા ફરિયાદ

બોરસદ:તાલુકાના કઠાણા ગામે રહેતો આકાશભાઈ રયજીભાઈ પરમારની બોહલી તલાવડી સીમ વિસ્તારમાં અઢી વીઘા જેટલી જમીન આવેલી છે. જે જમીન ભગવાનસિંહ માનસિંહ સોલંકીને ગીરો આપેલી છે

આજે સવારના નવેક વાગ્યાના સુમારે આકાશભાઈ દાંતણ કરી રહ્યો હતો ત્યારેે વીરસિંહ ભગવાનસિંહ સોલંકી, વિપુલભાઈ વિરસિંહ સોલંકી, લીલાબેન વિરસિંહ સોલંકી બાજરીના ખેતરમાં રોપડીઓ કાઢતા હતા અને તેઓએ જણાવ્યું હતુ કે, તુ ખેતરમાં કેમ આવ્યો છું તેમ જણાવીને ગાળો બોલી હતી. ત્યારબાદ વીરસિંહે લાકડીથી બરડાના ભાગે માર માર્યો હતો

વિપુલે પકડી રાખીને મોઢાના ભાગે બેથી ચાર લાફા મારી દીધા હતા. ત્યારબાદ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને છાપરું પણ સળગાવી માર્યું હતુ. ટીકાભાઈ સોલંકીએ આવીને ઘર છોડીને જતો રહે નહીં તો ટાંટીયા તોડી નાંખીશુ તેવી ધમકી આપી હતી.

 

(6:01 pm IST)