Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

અમદાવાદમાં યોજાઈ રહેલ પંચદેવેશ્વર મહાદેવનો ૩૨મો પાટોત્સવ

અમદાવાદ : અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલ મુરલીધર સોસાયટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચદેવેશ્વર મહાદેવના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પંચદેવેશ્વર મહાદેવના ૩૨માં પાટોત્સવ મુરલીધર સોસાયટી વિભાગ ૧,૨,૩ના સહયોગથી યોજવામાં આવ્યો હતો. જેમાં લઘુરૂદ્રને મહાદેવને પાલખીનું આયોજન કરાયુ હતું. આ પાટોત્સવ નિમિતે ભગવાન મહાદેવના મહાપ્રસાદનો મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા.

(3:52 pm IST)