Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

દાદીમાં જેવું નાક હોય અને જો સતા મળી જતી હોય તો ચીનમાં ઘરે-ઘરે રાષ્ટ્રપતિ બની જાય :મનસુખ માંડવીયાએ પ્રિયંકા ગાંધી પર કર્યા પ્રહાર

આણંદ બેટહક માટે ભાજપનું વિજય સંકલ્પ સંમેલનના સંબોધતા કેન્દ્રીય મંત્રી માંડવીયા

 

આણંદઃ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના માર્ગ પરિવહન પ્રધાન મનસુખ માંડવિયાએ કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર કર્યાં હતા

  આણંદમાં ભાજપાના વિજય સંકલ્પ સંમેલનમાં મનસુખ માંડવિયાએ પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘દાદીમાં જેવું નાક હોય અને જો સતા મળી જતી હોય તો ચીનમાં ઘરે-ઘરે રાષ્ટ્રપતિ બની જાય માંડવીયા કહ્યું હતું કે જે ગંગાને વડાપ્રધાન મોદીએ નવીનીકરણ કર્યું છે તે ગંગામાં હોડીમાં બેસીને સરકારની ટિક્કા કરે

     ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં વિદ્યાનગર રોડ પર આવેલા હાડકીલર ગ્રાઉન્ડમાં આણંદબેઠક પર ભાજપનું વિજય સંકલ્પ સંમેલનયોજવામાં આવ્યું હતું.બીજી તરફ આણંદ લોકસભા સીટને લઇ હજુ સુધી કોઈ ઉમેદવારનું નામ જાહેર થતા પક્ષના કાર્યકરોમાં પાર્ટી દ્વારા કોને ટિકિટ આપવામાં આવશે તેને લઈ ઉત્સુકતા જોવા મળી હતી

(11:17 pm IST)