Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સુરતના પાંડેસરામાં ઝાડી ઝાંખરામાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરના પાંડેસરા જગન્નાથનગરમાં ઝાડી ઝાંખરામાંથી ગત ગુરુવારે સાંજે અજાણ્યા યુવાનની કહોવાયેલી લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમમાં મૃતક યુવાનને લાશ મળ્યાના ત્રણ દિવસ અગાઉ માથામાં બોથડ પદાર્થ વડે ઇજા પહોંચાડી અને ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ઓળખ માટે કવાયત હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાંડેસરા જગન્નાથ નગર સોસાયટીના પ્લોટ નં.86 ની બાજુમાં આવેલ ખુલ્લી ઝાડી ઝાંખરવાળી જગ્યામાં ગત ગુરુવારે સાંજે 6 વાગ્યે ત્યાંના પાંચ- છોકરાઓએ અજાણ્યા યુવાનની લાશ જોતા સ્થાનિક અગ્રણીને જાણ કરી હતી. તેમણે પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસને ત્યાંથી અંદાજીત 35 થી 40 વર્ષના યુવાનની કહોવાયેલી લાશ મળી હતી

 

પોલીસે તેની લાશને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા યુવાનને લાશ મળ્યાના ત્રણ દિવસ અગાઉ માથામાં બોથડ પદાર્થ વડે ઇજા પહોંચાડી અને ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતી. આથી પાંડેસરા પોલીસે ગતરોજ હત્યાનો ગુનો નોંધી તેની ઓળખ માટે કવાયત હાથ ધરી છે.

(5:11 pm IST)