Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

હિંમતનગરમાં માં ઉમિયાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાતા હજારો માઇ ભક્તો ઉપસ્થિત રહ્યા

હિંમતનગર: શહેરના આંગણે દેશમાં ગણાતા 234મા ઉમિયા મંદિરના નિમાર્ણ માટે ચાર વર્ષે બે માસ બાદ મંદિરનો તા. 24થી 26 ફેબ્રુઆરી  દરમ્યાન   પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેનાઆજે  અંતિમ દિવસે  બપોરે 12.39 મા ઉમિયાને નવનિર્મીત મંદિરમાં મુખ્ય ગાદી ૫ર જયઘોષ સાથે બિરાજમાન કરાયા હતા.

જેના લીધે ઉમાભક્તોએ મંદિર પરીસરને જય ઉમિયાના ઘોષ સાથે  ગુંજતુ કરી દીધુ હતુ. તે જ સમયે મંદિરના ઘુમ્મટ ઉપર 51 ફુટ ઉંચી ધજાને મંત્રોચ્ચાર સાથે રોપવામાં આવી હતી.મહોત્સવના અંતિમ દિવસે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 14 સમાજના અંદાજે 60 હજારથી વધુ લોકોએ પ્રસાદરૂપે ભોજન લીધુ હતુ.

(5:42 pm IST)