Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

પંચમહાલ જિલ્લાના શહેરામાં વિધુર અને ત્યક્તાનો આપઘાતઃ સમાજ તેમનો સંબંધ નહીં સ્‍વીકારે તેવા ડરથી જીવ દીધો

શહેરા : પંચમહાલ જિલ્લાના શહેરાના પાટીયાપરા વિસ્તારમાં આંબાના વૃક્ષ સાથે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક અને યુવતી એક જ જ્ઞાતીનાં હોવાનું સામે આવી રહ્યું છે. યુવક વિધુર હતો. જ્યારે યુવતીનાં પણ છુટાછેડા જ થયેલા હતા.જો કે સમાજ તેમનો સંબંધ નહી સ્વિકારે તેવો ડર તેમને કોરી ખાતો હતો. બંન્ને એક નહી થઇ શકે તેવાં ડરનાં કારણે આખરે બંન્નેએ જીવન ટુંકાવ્યું હતું.

ઘટના અંગે જાણ થતાની સાથે જ બંન્નેના પરિવારજનો સ્થળ પર દોડીને આવ્યા હતા. શહેરા પોલીસ પણ ઘરે પહોંચી ગઇ હતી. બંન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મુદ્દે વધારે તપાસ ચાલુ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

(4:35 pm IST)