Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કેન્દ્ર અને રાજયના બજેટનો ભાજપ પ્રચાર કરશેઃ કાલે પ્રશિક્ષણ વર્ગ

દરેક જિલ્લામાંથી પસંદગીના આગેવાનોને બોલાવાયા

રાજકોટ, તા., ૨૭: ભાજપ દ્વારા અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષ્મી યોજનાઓની માહીતી પ્રજા સુધી પહોંચાડવા માટે યોજના બની રહી છે. આ અંગેના પ્રશિક્ષકો તૈયાર કરવા આવતીકાલે શુક્રવારે સવારે ૧૦.૩૦ વાગ્યાથી પ્રદેશ કાર્યાલયે પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવેલ છે. જેમાં દરેક જિલ્લામાંથી પસંદગીના બબ્બે ત્રણ-ત્રણ અગ્રણીઓને બોલાવવામાં આવ્યા છે. કાલે બજેટના પ્રચાર માટેના કાર્યક્રમોની રૂપરેખા અપાશે.

તાજેતરમાં રજુ થયેલ બન્ને બજેટના વિષય અંગે કાર્યશાળાનું આયોજન કેન્દ્રની સુચના મુજબ દરેક પ્રદેશમાં આયોજન કરવાનું છે. પ્રદેશ સ્તરની બજેટ કાર્યશાળાનું આયોજન પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં રાષ્ટ્રીય મહામંત્રીશ્રી અને પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્રજી યાદવ કેન્દ્રીય મંત્રીશ્રી અર્જુનરામ મેઘવાલજી અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી.સતીષજી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

(4:28 pm IST)