Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

તમે (કોંગ્રેસે) ઘોર ખોદી છે : નર્મદાની કામગીરીના સવાલથી નીતિન પટેલ ઉકળ્યા

મોરબી - માળિયા પ્રશાખાના કામ અંગે બ્રિજેશ મેરજાએ સવાલ ઉઠાવ્યા

ગાંધીનગર તા. ૨૭ : મોરબી અને માળીયા તાલુકામાં નર્મદાની પ્રશાખા અને તેની કામગીરી અંગે કોંગ્રેસના બ્રિજેશ મેરજાના પ્રશ્નના ઉત્તરમાં નર્મદા મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રને અને મોરબીને ખો આપો છો તેવી કરેલી વાત ખોટી છે તમે સરકારની ઘોર ખોદી નાંખી છે.

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો કૃષિ ઉત્પાદન વધ્યું છે. આ જિલ્લામાં પાણી પુરતુ મળે છે. અમારી સરકારે કૃષિ વિકાસ કર્યો છે. આ નર્મદા બંધના દરવાજા અને તેની કામગીરી કોણે કરી તમારા શાસનમાં તમે શું કર્યું?

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, અમારી સરકારે જમીન ખાલી કરાવવામાં આવેલ છે. આમ છતાં કોઇ સરકારી જમીન ખાલી કરતો નહિ હોય તો તે ગમે તે જ્ઞાતિનો હશે. કોઇને પણ હટાવી દેવામાં આવશે. જરૂર પડે તો નર્મદાની કેનાલ પસાર થતી હોય અને આવા લોકો કબ્જો નહિ આપે તો પોલીસ અને લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી કડક હાથે કામ લેવાશે.

(1:17 pm IST)