Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં નવા મકાનમાં રહેવા જવું પરિવારને ભારે પડ્યું: જુના મકાનમાંથી તસ્કરો 4.92 લાખની મતા તફડાવી છૂમંતર.....

વડોદરા:શહેરના ભરચક ફતેપુરા વિસ્તારના રાણાવાસમાં એક મકાનમાંથી ચોરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃા..૯૨ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં.

અંગેની વિગત એવી છે કે ફતેપુરા વિસ્તારમાં રાણાવાસમાં પ્રકાશ બેકરીની સામે રહેતો મયુર નટવરભાઇ રાણા પોર જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમણે ખોડિયારનગર ખાતે વેનીસ બંગલોમાં નવું ઘર લીધું છે તેમજ ઘરમાં થોડું કામ બાકી હોવાથી તેઓ ફતેપુરાનું ઘર થોડા દિવસો સુધી બંધ કરી પત્ની અને માતા સાથે ખોડિયારનગર ખાતેના ઘેર રહેવા માટે ગયા હતાં.

તા.૨૬ જાન્યુઆરીની સવારે તેમના પાડોશીનો ફોન આવ્યો  હતો કે ઘરનો દરવાજો ખૂલ્લો છે અને લાઇટ પણ ચાલુ છે. સમાચારના પગલે મયુર તેની માતા સાથે ફતેપુરાના મકાનમાં આવ્યો ત્યારે મુખ્ય દરવાજાની ગ્રીલનો નકૂચો અને દરવાજાનો નકૂચો તોડી નાંખી કોઇ વ્યક્તિએ નીચેના માળ તેમજ પહેલા માળે મૂકેલી તિજોરીનું ચોરખાનું તોડી નાંખી અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હોવાનું જણાયું હતું. બનાવ અંગે મયુર રાણાએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

(5:31 pm IST)