Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

આણંદ નજીક મેઘવા બેડાપુરામાં એક સાથે પાંચ મકાનના તાળા તૂટ્યા: બે લાખથી વધુની મતાની ઉઠાંતરી થતા પોલીસ ફરિયાદ હાથ ધરવામાં આવી

આણંદ: નજીક આવેલા મેઘવા બડાપુરા ગામના રોહિતવાસમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ પાંચેક જેટલા મકાનોને નિશાન બનાવીને ત્રણ મકાનમાંથી બે લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ભાલેજ પોલીસે ઘરફોડનો ગુનો દાખ કરીને જોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર વઘાસી ગામે રહેતા રમેશભાઈ શનાભાઈ રોહિતનું મેઘવા ગામના રોહિતવાસમાં બે માળનું મકાન આવેલું છે. જેમાં ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ તાળુ તોડીને તેમજ નકુચા તોડી નાંખીને અંદર ઘુસ્યા હતા અને તિજોરી તોડીને અંદર મૂકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા ૧ હજાર મળીને ૧,૧૧,૫૦૦ની મત્તાની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ તસ્કરોએ નજીકમાં રહેતા વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ રોહિતના બંધ મકાનના તાળા તોડીને અંદરથી સોના-ચાંદીના દાગીના, ચાંદીના સિક્કા તેમજ રોકડા ૧૦ હજાર મળીને કુલ ૩૬૫૦૦ની મત્તાની ચોરી કરી લીઘી હતી. તસ્કરોએ ફળિયામાં જ રહેતા સેજલબેન ગણપતભઈ પરમારના ખુલ્લા દરવાજામાંથી ઘરમાં ઘુસી જઈને ત્યાંથી પણ સોના-ચાંદીના દાગીના તેમજ જે કાંઈ કિંમતી ચીજવસ્તુઓ મળી તેની ચોરી કરી લીધી હતી.

 

(5:39 pm IST)