Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

વડોદરાના તાંદલજામાં અશાંતધારાનો ભંગ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં અશાંતધારાના ભંગ બદલ સોસાયટીના રહીશો પોલીસ મથકે પહોંચ્યા હતા.

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ મકાન ન ખરીદી શકે જ્યારે મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ મકાન ન ખરીદી શકે તેમ છતાંય કેટલાક લઘુમતી કોમ દ્વારા આ કાયદાનો છડેચોક ભંગ કરવામાં આવી રહ્યો છે.

વિસ્તારના સબરજિસ્ટ્રાર અને અશાંતધારોની પરવાનગી આપતા અધિકારીઓની મિલીભગતથી આડેધડ મકાનોનું ખોટી રીતે વેચાણ થઈ રહ્યું છે. તાંદલજાની સમર્પણ સોસાયટીમાં 150 મકાનો આવેલા છે.

જેમાં તમામ હિંદુઓ રહે છે પણ તાજેતરમાં એક મકાનમાં મુસ્લિમ પરિવાર રહેવા આવતા આજે સોસાયટીના રહીશોએ હંગામો મચાવ્યો હતો. સોસાયટીના જાણ બહાર મકાન લઘુમતીને વેચાઈ જતા આજે સ્થાનિક રહિશો પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તેઓએ અશાંતધારા ભંગની ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી.

(5:43 pm IST)