Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

જાણીતા ગઝલકાર અને કવિ જલન માતરી જન્નત નશીન:વતન માતરમાં અપાઈ માનભેર વિદાય

 

અમદાવાદ :જાણીતા ગઝલકાર અને કવિ જલન માતરી જન્નત નશીન થયા છે. જલન માતરીની તેમના વતન માતરમાં અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ખમાસા-જમાલપુર નજીક આવેલા તેમના નિવાસસ્થાનેથી તેમનો જનાજો વિસ્તારની એક મસ્જિદ સુધી લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી માતર લઈ જઈ બાકીની અંતિમવિધિ કરવામાં આવી. અને માનભેર વિદાય આપવામાં આવી. જલન માતરીની વિદાયથી.સાહિત્ય જગતમાં ઘેરો શોક છવાયો છે 

(10:26 am IST)