Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાજપીપળા મોહસીને આઝમ મિશન દ્વારા ૨૧ પરિવારોને ઠંડી સામે રક્ષણ મળે તે હેતુથી ધાબળા વિતરણ કરાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : મોહસીને આઝમ મિશન દ્વારા વિશ્વ ભરમાં વિવિધ સામાજિક સેવા કાર્યો કરવામાં આવે છે ઉપરાંત લોકડાઉન દરમિયાન પણ મોહદ્દીસે આઝમ મિશન રાજપીપળા દ્વારા ગરીબ વર્ગને અનાજની કીટ વહેચી માનવતા મહેકાવી હતી જે બદલ નર્મદા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા.ત્યારે હાલ પડી રહેલી કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારોને નિઃશુલ્ક ધાબળા વિતરણ કરી માનવતાના દર્શન કરાવ્યા હોય જેમાં રાજપીપીપળા તેમજ આસપાસના વિસ્તારના ૨૧ જરૂરતમંદ પરિવારોને ધાબળા વિતરણ કરાયું હતું જેમાં સૈયદ અશરફી મિયાં સાહેબ ,સૈયદ ઉવૈશ મિયાં સાહેબ, સૈયદ ઝેૈદ કાદરી સાહેબ તેમજ શાહનવાઝ ખાન, ઇરફાન ખોખર નિજામ રાઠોડ , હનીફ ભાઈ , સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીને આઝમ મિશન ના સ્થાપક સૈયદ હસન અશકરી બાવા સાહેબના આદેશથી સમગ્ર ભારત ભરમાં મોહસીને આઝમ મિશનની તમામ શાખાઓ તરફથી આ પ્રકારના લોકસેવાના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.

(9:53 pm IST)