Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

રાજ્યમાં કોરોનાના વધુ 1,002 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 890 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 7 લોકોના મોત :મૃત્યુઆંક 4275 થયો : કુલ 2,26,208 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,40,995 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 185 કેસ, સુરતમાં 164 કેસ,વડોદરામાં 138 કેસ, રાજકોટમાં 78 કેસ, ગાંધીનગર અને કચ્છમાં 29 કેસ,મહેસાણામાં 24 કેસ,દાહોદ અને ભાવનગરમાં 22-22 કેસ,ભરૂચમાં 20 કેસ, ખેડામાં 19 કેસ,, જૂનાગઢમાં 18 કેસ,નોંધાયા :હાલ 10,512 એક્ટિવ કેસ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 890 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 1,002 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસો બાદ સતત નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 890 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1002 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,40,995 થઇ છે જયારે આજે વધુ 1002 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,26,208 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 7 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4275 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 93,86 થયો છે

  રાજ્યમાં હાલ 10,512 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 10,451 દર્દીઓ સ્ટેબલ છે, છેલ્લ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 53,539 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 93,84,030 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4,મહેસાણામાં 1,રાજકોટ કોર્પોરેશનમાં 1,અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 7 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 890 પોઝિટિવ કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 185 કેસ, સુરતમાં 164 કેસ,વડોદરામાં 138 કેસ, રાજકોટમાં 78 કેસ, ગાંધીનગર અને કચ્છમાં 29 કેસ,મહેસાણામાં 24 કેસ,દાહોદ અને ભાવનાગરમાં 22-22 કેસ,ભરૂચમાં 20 કેસ, ખેડામાં 19 કેસ,, જૂનાગઢમાં 18 કેસ,નોંધાયા છે 

 

(7:34 pm IST)